સાળી સાથે પ્રેમ થતા પતિએ બનાવ્યો પત્નીની હત્યાનુ ખતરનાક કાવતરૂ
વિંછીયાના દલડી ગામની પરણીતા 40 દિવસથી ગુમ હતી. પોલીસ તપાસ દરમિયાન મહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાં દાટેલી હાલતમાં મળી આવી આ કેસમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી વિંછીયા પોલીસ મથકે ગુમ થયાની નોંધ પણ થઈ હતી ત્યારે દલડીની ગુમ થયેલ પરણીતાની લાશ 44 દિવસ પછી ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની વીડમાંથી મળી આવી કંકાલરૂપે મૃતદેહ મળી આવતા આખરે હત્યાનો ભેદ ખુલ્યો હતો કે પરિણીતાનું તેના પતિ દ્વારા જ મોબાઈલ ચાર્જના કેબલ વડે ગળેફાંસો આપી મોત નીપજાવ્યું હતું પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
વિંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઈ જોગરાજીયાની પુત્રી રંજનના લગ્ન દલડી ગામે રહેતા રાજેશ ઓળકીયા સાથે ચાર વર્ષ પહેલા થયા હતા લગ્નજીવન દરમિયાન તેઓને ત્રણ વર્ષનો પુત્ર પણ છે લગ્ન બાદ અવાર નવાર સાસરે જતા રાજેશને સાળી ઇન્દુ સાથે આંખ મળી ગઈ હતી આ વચ્ચે રંજન એક ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી આ વાતની જાણ તેણે પતિથી છુપાવી હતી પરંતુ પતિને આ વાતની જાણ થઈ ગઈ હતી આ દરમિયાન રાજેશ એકવાર ઇન્દુને ભગાડીને લઈ ગયો હતો. પરંતુ બંનેના અનૈતિક સંબંધો રાજેશના સાસરી પક્ષવાળાને મંજૂર ન હતા. આથી પરિવારજનોએ ઇન્દુને ફઈબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની અન્ય સ્થળે સગાઈ પણ નક્કી કરાઇ હતી આ દરમિયાન રાજેશે સાળી સાથેના પ્રેમમાં બાધા બનતી પત્ની રંજનનું કાસળ કાઢવાનો પ્લાન ઘડયો હતો આ માટે તે પત્નીને ઢોકળવાની વીડમાં લઇ જઈ ચાર્જરના કેબલ વડે ગળે ફાંસો દઈ હત્યા કરી હતી તેના બાદ લાશને પથ્થર નીચે સંતાડી દીધી હતી.