આણંદ તાલુકાના ત્રણોલ ગામે નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા આધેડનું ડૂબતાં મોત
આણંદ તાલુકાના ત્રણોલ ગામ સ્થિત દેવપુરા પાસેથી પસાર થતી નહેરમાં હાથ-પગ ધોવા ઉતરેલા 50 વર્ષીય આધેડનો પગ લપસી જતાં તેઓ નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થયા. આ મામલે ખંભોળજ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધ્યો.
ત્રણોલ ગામ સ્થિત દેવપુરામાં રહેતા ભરતભાઈ રામાભાઈ ઝાલા તેમના ઘર પાસેથી પસાર થતી નહેરમાં હાથ-પગ ધોવા ગયા. દરમિયાન, અચાનક તેમનો પગ લપસી ગયો. જેને કારણે તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થયા. આસપાસના લોકોએ બુમરાણ મચાવી તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ મામલે સ્થાનિક તરવૈયાઓએ તેમનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ખંભોળજ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.