તબીબોએ હાર્દિકને આપી સલાહ

પાસ કન્વિર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ચોથો દિવસ છે. વિવિધ માંગણીઓને લઈ શનિવાર, તા. 25 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકના વજનમાં અત્યાર સુધીમાં એક કિલોનો ઘટાડો થયો છે. તબીબોએ આજે હાર્દિકની મેડિકલ તપાસ કરી તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.