ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાના PM મોદીના મિશનની તૈયારીઓ શરૂ

અંતરિક્ષમાં ભારતની વધતી તાકાત 2022માં વધુ મજબૂત થવાની શક્યતા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે પોતાના ભાષણમાં 2022 સુધી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવાની વાત કહી હતી, તેના પર હવે કામ શરૂ થઇ ગયું છે. મંગળયાનને સફળતાપૂર્વક મંગળ પર મોકલવાળા ઇસરોએ આ મિશન પર પણ કામ શરૂ કરી દીધું છે.