પૂર્વ કચ્છ કલેક્ટર પ્રદીપ શર્માને મળ્યા જામીન
કચ્છમાં કલેક્ટર તરીકે ફરજ ભજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્મા ને હાઇકોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. તેમના પર છેલ્લા કેટલાય સમય થી ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા 10 જેટલી ફરિયાદો નોંધાઈ હોવાને કારણે તેઓ છેલ્લા કેટલાય સમય થી જેલ વાસ ભોગવી રહ્યા છે ત્યારે હાલમાં તેઓ દ્વારા હાઇકોર્ટમાં જામીન માટે જે અરજી કરવામાં આવી હતી તે અરજી હાઇકોર્ટ એ માન્ય રાખી તેઓને જામીન આપ્યા છે.