મધદરિયે સલાયાના જહાજે લીધી જળસમાધી
કચ્છમાં આવેલ માંડવીના સલાયાનું એક જહાજ મધદરિયે ડૂબી ગયું છે.
આ જહાજ દુબઈથી યમન જવા નીકળ્યું હતું અને આ જહાજનું નામ ઝીલ હતું.
જે વાવાઝોડાની ઝપેટમાં આવી જતા દરિયામાં ડૂબી ગયું હતું. તેની સાથે જ ઝીલ જહાજમાં રહેલી ગાડીઓનો મોટો કાફલો જહાજ સાથે જ દરિયામાં ડૂબી ગયો હતો.
જહાજ ડૂબ્યું ત્યારે તેમાં ભરેલી કારો સહિતની વસ્તુઓ પત્તાની જેમ પાણીમાં તરતી જોવા મળી હતી.