અંજારમાં માતાજીના દર્શન કરવા માટે ગયેલા સખ્શને કાકા-કાકી સહિત પરિવારના આઠ ઇસમોએ લાકડીઓ વડે કર્યો હુમલો


અંજારમાં માતાજીના દર્શન કરવા માટે ગયેલા કાકા અને તેના પરિવારના 8 સખ્શોએ લાકડીઓ વડે હુમલો કરતા 3 લોકો ઘાયલ થયા. અંજારના કળશ સર્કલ પાસે રહેતા 22 વર્ષીય કિશન ફકીરાભાઈ વડેચાની ફરિયાદને ધ્યાને લઈ અંજાર પોલીસમાંથી મળતી માહિતી અનુસાર ફરિયાદી તેના દાદાના વાડામાં માતાજીના દર્શન કરવા ગયો હતો. ત્યારે તેના કાકા દેવશી અમથુ વડેચા અને કાકી ગીતાબેન તેમના સંતાનોએ ફરિયાદી સાથે મારામારી કરી.
જેના બીજા દિવસે આરોપી કાકા-કાકી તેમજ સુરેશ દેવશી વડેચા, નીતેશ દેવશી વડેચા અમથુ ગોવિંદ ચાંગાવડીયા, ભવન અમથુ ચાંગાવડીયા, કિશન અમથુ ચાંગાવડીયા અને ભરત અમથુ ચાંગાવડીયા હાથમાં લાકડીઓ લઈ ફરિયાદીના ઘરે આવી પહોચ્યા અને યુવાનને તેના દાદાના વાડામાં લઈ જઈ લાકડીઓ વડે માર માર્યો. તે સમયે ફરિયાદીનો ભાઈ વિનોદ અને તેના પિતા આવી પહોંચતા આરોપીઓ તેમને પણ મારવા લાગ્યા હતા.
જેમાં વિનોદને ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ હતી તેમજ ફરિયાદી તથા તેના પિતાને મૂઢ-માર ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ તમામ ઘાયલ લોકોને અંજારની સરકારી હોસ્પિટલ મધ્યે દાખલ કરવામાં આવ્યા. ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.