ભાવેશ્વરનગરનો રહેવાસી બન્યો ઓનલાઇનનો ફ્રોડનો શિકાર,જાણ બહાર બેન્કમાંથી ઉપડ્યા 1.92 લાખ


ભુજના ભાવેશ્વરનગર રહેતા વ્યક્તિના બેન્ક એકાઉન્ટમાંથી કોઇ અજાણ્યા શખ્સે બારોબાર ત્રણ ટ્રાન્જેન કરીને રૂપિયા 1,92,492 જેટલી રકમ ઉપાડી લેવાનો બનાવ આવ્યો સામે, આ અંગે તરત જ સાયબર સેલ (એલસીબી)નો સંપર્ક સાંધતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભોગબનારના ગયેલા રૂપિયા પૈકી 61,502 પરત ખાતામાં પરત લાવી આપ્યા હતા. મળતી વિગતો અનુસાર ભાવેશ્વરનગરમાં રહેતા પ્રફુલ લખમશી હળપાણી નામના યુવકના આઇસીઆઇસીઆઇ બેન્ક એકાઉન્ટમાંથી કોઇ અજાણ્યા ઈસમ દ્વારા બેન્ક એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેકશન કરી 1 લાખ 92 હજાર 492 રૂપિયા ઉપડી લેવામાં આવ્યા હતા.
ભોગબનારે તે જ સમયે સાયબર સેલ (એલસીબી) ભુજનો સંપર્ક સાધતાં, પોલીસે ભોગબનાર ફરિયાદીના બેન્ક એકાઉન્ટની માહિતી પરથી તાત્કાલિક પત્રવેહવાર અને ટેકનીકલ રીસોર્સના આધારે કાર્યવાહી કરી ભોગબનારના ગયેલ રૂપિયા 1,92,492 પૈકી 61,502 રૂપિયા તેમના બેન્ક ખાતામાં પરત લેવડાવી દેવાયા હતા. ઉપરાંત બાકી રહેતા રૂપિયા પરત મેળવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે તે જ સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો, નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલ શાખાનો સંપર્ક કરી ફ્રોડ થયેલ બેન્ક ખાતાની સંપૂર્ણ વિગતો પોલીસને જણાવવા પોલીસે સુચન કર્યું છે