માધાપરના યુવકે બીમારીથી કંટાડતા કર્યો આપઘાત

માધાપર જુનાવાસમાં ભાદરકા સોસાયટીમાં રહેતા 28 વર્ષીય યુવાન દ્વારા બીમારીથી કંટાળી જઇ ફાંસો ખાઇ  આપઘાત કરી લેવાતા પરિવારજનોમાં શોક છવાઇ ગયો. આ બનાવ અંગે જી.કે.જનરલ હોસ્પિટલમાં હતભાગી યુવાન અજીમ ગનીભાઇ સમાને લઇ આવનાર તેમના મોટા ભાઇ ઉમર ગનીભાઇ સમાએ એમએલસીમાં જણાવ્યુ હતું કે, તેમનો નાનો ભાઇ અજીમ બીમાર રહેતો હોવાથી સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં રૂમમાં પતરાના લોખંડના પાઇપ પર ચુંદડીના માધ્યમ વળે ફાંસો ખાઇ લેતાં, સારવાર માટે હોસ્પિટલમાં લઇ આવાતાં, ત્યાં પરના હાજર તબીબે સાંજે સવા સાત વાગ્યાના અરસામાં તેને મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.