રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના જિલ્લા પ્રમુખનો કરાયો અપહરણ, કારમાં બેસાડીને ઢોર માર મરાયો

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષને સહયોગનગર પાસેથી કારમાં બેસાડી માર મારવામાં આવ્યો.સમાજમાં થતા કામનું મનદુઃખ રાખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કચ્છ જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ મેહુલરાજ ભરતસિંહ રાઠોડે શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ભુજ શહેર ભાજપના મંત્રી હિરેન રાઠોડે ફોન કરીને મળવાનું કહ્યું હતું અને ઈનોવા કાર લઈને સહયોગનગર એકતા સુપર માર્કેટ ખાતે આવ્યો હતો.

કારમાં મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત સોલંકી નામનો ઈસમ પણ બેઠો હતો બંને જણાએ વાત કરવાના બહાનો કરી ફરિયાદીને ઇનોવામાં બેસાડયો હતો અને થોડે અંતરે લઈ જઈ કારને લોક કરીને તું રાજપૂત સમાજવાડીમાં જે કાર્યક્રમ થતા હોય તેમાં આડો ના આવતો તેમ કહીને માર ઢોર માર્યો હતો.

માર મારતી વેળાએ ભરતે ધમકી આપતા કહ્યુ હતું કે ‘હું મા ભારતી ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી. તું અમારું કંઈ બગાળી શકીશ નહીં, તને અને તારા પરિવારને જીવતાં મૂકીશું નહી’ ત્યારબાદ આરોપીઓએ કાર હંકારી મૂકી હતી. જો કે, એકતાનગર ચોકડીએ કાર ધીમી પડતાં ફરિયાદી કારનો દરવાજો ખોલી જીવ બચાવવા બહાર કૂદી ગયા ત્યારે પણ આરોપીઓએ જાહેરમાં માર માર્યો હતો.

ફરિયાદી મેહુલરાજે જણાવ્યું હતું કે,આરોપીઓ દ્વારા તેમને વિશ્વાસમાં લઇને અપહરણ કરી માર મારવામાં આવ્યો, છતાં પણ એ ડિવિઝન પોલીસે અપહરણની કલમ નથી લગાડી.જે મુદ્દે પણ પ્રશ્નો કર્યા હતા.