મિરજાપર હાઈવે પર આવેલા બી.એમ.હ્યુનડાઈ કંપની કારના શો રૂમમાંથી થઈ રોકડા રૂ.1.21 લાખની તસ્કરી


મિરજાપર હાઇવે પર આવેલા બી.એમ.હ્યુનડાઈ કંપનીના શોરૂમમાંથી ચોર 1.21 લાખ રોકડા ચોરી ગયા હોવાનો બનાવ આવ્યો સામે.જે રીતે ઘટના ઘટી છે, તે જોતા જાણભેદુ ઈસમોનો હાથ હોવાની વાતો ઉઠી રહી છે. દરબારગઢમાં રહેતા અને શોરૂમના બોડી શોપ મેનેજર તરીકે ફરજ બજાવતા મીત તુલસીદાસ પરમારે એ ડિવિઝન પોલીસમાં જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન ગાડી સર્વિસ, સ્પેરપાર્ટ અને નવી ગાડીના વેચાણથી આવેલા રોકડા રૂપિયા 1.21 લાખ કેશીયર નીરજ સોદાગર દ્વારા શોરૂમમાં એકાઉન્ટ રૂમની લોખંડની તિજોરીમાં રાખવામા આવ્યા હતા.
દરમિયાન સવારે ચોકીદારે ફોન કરીને જણાવ્યુ હતું કે, કેશીયર રૂમના દરવાજા અને ટેબલનું ખાનું ખુલ્લું છે જેથી ઘટનાસ્થળે જઇ તપાસ કરવામાં આવી હતી. જેમાં ચોરી થવાનું જણાતા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી .કોઈ ઇસમો દ્વારા શોરૂમમાં પ્રવેશી પાછળના ભાગે આવેલી કાચની બારી ખોલી અંદર પ્રવેશી કાચનો દરવાજો તોડી અને એકાઉન્ટરૂમની તિજોરીમાંથી રોકડની ચોરી કરાઇ હતી.
શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા જણાઈ આવ્યું હતું કે કોઈ અજાણ્યા સખ્શો દ્વારા શોરૂમમાં પ્રવેશ કરાઇ ચોરી કરાઇ હતી.રૂપિયા જે તિજોરીમાં રાખેલા હતા તે તિજોરી રૂમમાં અને શોરૂમમાં ક્યાંય જોવા મળી હતી નહિ, તપાસ દરમ્યાન શોરૂમની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાંથી તૂટેલી તિજોરી મળી આવી હતી.