ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે પૂરઝડપે ચાલી રહેલી ઈકો કારમાં લાગી આગ, સદ્દ્ભાગ્યે જાનહાનિ થતાં ટળી

ભૂજના સુરલભીઠ માર્ગ તરફના લખુરાઈ ચાર રસ્તા પાસે બપોરના વેળામાં એક પૂરઝડપે ચાલતી ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં કારમાં સવાર લોકો નીચે ઉતરી જતા જાનહાની થતાં ટળી હતી. જોકે જાહેર માર્ગ પર લાગેલી આગના કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવમાં ભેગા થઈ ગયેલા સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી આવતા આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને વધુ નુક્શાનીમાંથી બચાવી હતી.

આ વિશે પ્રાપ્ત માહિતી મુજબ ભૂજ શહેરની ભાગોળે સુરલભીઠ તરફના લખુરાઈ ચાર રસ્તા પાસે કાર નંબર GJ12 DM 9529માં આગ લાગી હોવાનો ઘટના ઘટી હતી. આગના પગલે લોકોની મેદની એકઠી થઈ જવા પામી હતી. જ્યારે કાર ચાલક ઘટનામાં હેબતાઈ ગયો હતો અને માહિતી પણ આપી સકતો ના હતો. આ અંગે ઉપસ્થિત લોકો દ્વારા જણાવ્યું હતું કે કાર સ્પીડમાં જઈ રહી હતી અને તેમાં આગ લાગી હતી. જોકે ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈ આગને કાબુમાં કરી લીધી હતી. આ કામગીરીમાં ફાયરટીમના ભગતસિંહ જાડેજા,વિશાલ ગઢવી, ઈમ્તિયાઝ સમાં, સોહમ ગોસ્વામી, સુનિલ મકવાણા, પિયુષ સોલંકી વગેરે જોડાયા હતા.