નગરપાલિકાએ ટ્રેક્ટરની સુવિધા સમયસર ના રાખતા, માઈભક્તો પરોઢે જ મૂર્તિઓ કરી તળાવમાં વિસર્જન


નગરપાલિકાએ ટ્રેક્ટરની સુવિધા સમયસર ના રાખતા, માઈભક્તો પરોઢે જ મૂર્તિઓ કરી તળાવમાં વિસર્જન
ભુજ શહેરના હૃદય સમાન તળાવને પ્રદુષણ મુક્ત રાખવા માટે નગરપાલિકા દ્વારા દશામાની મૂર્તિઓ હમીરસર તળાવમાં ન પધરાવવા અપીલ કરાતી રહી. પરંતુ, પ્રતિકાત્મક વિસર્જન બાદ તળાવના દરવાજા પાસે ટ્રેકટર ટ્રોલી છેક સવારે 8 વાગે આવી અને વ્રતધારી ભક્તો વહેલી સવારે 6 વાગે આવીને મૂર્તિનું તળાવમાં વિસર્જન કરી દીધું.
સામાન્ય રીતે નીતિવિષયક નિર્ણયો ચૂંટાયેલા નગરસેવકો દ્વારા નિમાયેલા પદાધિકારીઓ લેતા હોય છે અને નિર્ણયનો પાલન વહીવટી અધિકારીઓ કરાવતા હોય છે. પરંતુ, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કરે દશામાની મૂર્તિઓ હમીરસરમાં ન પધરાવવા અપીલ કર્યા બાદ મુખ્ય અધિકારી જીગર પટેલે તળાવના દરવાજા પાસે ટ્રેકટર અને ટ્રોલીની વ્યવસ્થા રાખી હતી નહિ, જેથી પ્રતિકાત્મક વિસર્જનને બદલે વ્રતધારી ભાવિક સંપૂર્ણ મૂર્તિનું તળાવમાં વિસર્જન કરી દીધું હતું
આમ, વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઅઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી આવ્યો હતો. હકીકતમાં નગરપતિએ સિસ્ટમને અનુસરતા મુખ્ય અધિકારીને કહ્યું હોત તો મુખ્ય અધિકારીએ તેમના તાબા હેઠળના શાખા અધ્યક્ષોને આદેશ કરી દીધા હોત.