સતાપર રોડ પર આખલા સાથે બાઈક ટકરાતાં પિતાનું મૃત્યુ: પુત્ર ઇજાગ્રસ્ત

અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જતા પિતા પુત્રની વચ્ચે આખલો આવી જતા અકસ્માત સર્જાયો. આ ઘટનામાં પુત્રને સામાન્ય ઈજાઓ પહોચી હતી  જયારે પિતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

ઘટના અંગે અંજાર પોલીસ મથકેથી અંજાર તાલુકાના લાખાપર ગામે રહેતા 39 વર્ષીય કાનજી જુમાભાઈ કોલીની ફરિયાદને મધ્યે રાખી મળતી વિગતો અનુસાર ફરિયાદીનો ભાઈ 35 વર્ષીય રમેશભાઈ અને તેનો પુત્ર મયુર બાઈક વડે અંજારથી દવા લઇ રાત્રે ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી ગયો હતો અને તેમની ટક્કર થઇ.

જેમાં પુત્ર મયુરને સામાન્ય ઈજાઓ થઈ  હતી જયારે રમેશભાઈને પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે તેમને પ્રથમ અંજાર ત્યાર પછી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ મધ્યે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ ઘટના અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવતા અંજાર પોલીસ દ્વ્રારા આ અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.