ગાંધીધામના સરકારી વિશ્રામ ગૃહમાંથી 11 હજારની ચોરી કરી: તસ્કરો થયા ફરાર


ગાંધીધામના સરકારી વિશ્રામ ગૃહના કબાટમાં રાખેલી રૂપિયા 10,000 રોકડ અને સ્ટોર રુમમાં રાખેલી ડ્રીલ મળી કુલ રૂપિયા 11,700 ની માલમત્તા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ માર્ગ અને મકાન પેટા વિભાગના મદદનીશ ઇજનેરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. મુળ અમદાવાદના અને હાલે ગાંધીધામ વિશ્રામ ગૃહમાં રહેતા અંજાર માર્ગ અને મકાન વિભાગના મદદનિશ ઇજનેર ધ્રુવ ઉમેશકુમાર ત્રીવેદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેઓ કામ માટે અમદાવાદ ગયા હતા. અને તેઓ પરત ગાંધીધામ ફરી રહ્યા હતા ત્યારે તેમના પિતરાઇ ભાઇ પાર્થ અભિષેક ત્રિવેદી જે અવાર નવાર પોતાના કામ માટે મુન્દ્રા આવતા હોવાથી તેમનું બાઇક વિશ્રામ ગસહમાં રાખે છે.પાર્થ મોડો આવે તો આરામ કરવા માટે તેઓ જે ક્વાર્ટરમાં રહે છે તેની ચાવી તેમણે તેને આપી છે.
પરોઢે પાર્થે તેમને ફોન કર્યો હતો કે તમારા ક્વાર્ટરના તાળા તુટ્યા છે. તેમણે ક્વાર્ટર પર પહોંચી અને તપાસ કરી હતી ત્યારે કબાટમાં રાખેલી રૂપિયા 10,000 રોકડ તથા વિશ્રામ ગૃહના સરકારી સ્ટોરમાં રાખેલી રૂપિયા 1,200 ની કિંમતની ડ્રીલ મળી કુલ કિંમત રૂપિયા 11,700 ની ચોરી થયાનો સામે આવતા તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.