પિંગલેશ્વર મંદિર પાસે નાયરા નદીના ચેકડેમમાં ડુબી જતા એક યુવકનું મોત

અબડાસા તાલુકાના પિંગલેશ્વર નજીક નાયરા નદીના ચેકડેમમાં ન્હવા ગયેલા પાંચ યુવાનો પૈકીનો એક યુવક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. મરિન કમાન્ડો અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરાતા ત્રણ કલાક જહેમત કર્યા બાદ યુવાકની લાશ મળી હતી. આરીખાણાના યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ થતાં પરિવારજમાં ભારે શોક છવાઈ ગયો છે.

આ ઘટના બપોરે ત્રણ વાગ્યાના અરસામાં બની હતી. પિંગલેશ્વર મંદિર નજીક આવેલ નાયરા નદીના ચેકડેમમાં ચાર-પાંચ મિત્રો ન્હાવા ગયા હતા. તે દરમિયાન નાયરા નદીના ધસમસતા પ્રવાહમાં આરીખાણા ગામના મહેન્દ્રસિંહ નટુભા જાડેજા નામનો યુવક ઊંડા પાણીમાં તણાઇ ગયો હતો.  આ ઘટના અંગે ગામના લોકોને જાણ થતાં મરિન કમાન્ડોને સાથે રાખીને યુવાનની શોધ કરાઈ હતી. હતભાગી યુવાકને હોસ્પિટલે લઇ જવાતાં ત્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.