ગાંધીધામમાં કોરોનાએ ફરી પકડી તેજ રફતાર 


કચ્છ જિલ્લામાં કોરોનાની રફતાર તેજ થતી જાય છે. ઋતુજન્ય રોગચાળાને કારણે સરકારી દવાખાનાઓમાં દર્દીઓની મોટી સંખ્યા છે ત્યારે બીજી બાજુ કોરોના વાયરસના નવા કેસો પણ દરરોજ સામે આવે છે. કચ્છમાં વધુ 25 દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમીત થયા. શહેરી વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસોનો સમાવેશ થાય છે.તંત્રની યાદી મુજબ, સૌથી વધુ ગાંધીધામ શહેરમાં 11 કેસ અને તાલુકામાં બે કેસો સામે આવ્યા છે.
છેલ્લા અઠવાડિયાથી ગાંધીધામ કોરોનાનું હોટસ્પોટ બની ગયું હોય તેમ દરરોજ નવા કેસો આ વિસ્તારમાંથી આવે છે બીજા નંબરે ભચાઉ તાલુકામાં પણ એક સાથે 5 કેસો સામે આવ્યા હતા. જિલ્લા મથક ભુજમાં બે અને માંડવીમાં બે તેમજ લખપત તાલુકામાં પણ એક કેસ નોંધાયો છે. નવા કેસની સામે 21 દર્દીઓને સ્વસ્થ જાહેર કરતા એક્ટિવ કેસની સંખ્યા 94 થઈ ગઈ છે.આરોગ્ય કર્મચારીઓ તેમની પડતર માંગોની હડતાળ પર હોવાથી રસીકરણની કામગીરી ઠપ થઈ. જેના કારણે રસીકરણ આંક શૂન્ય રહ્યો હતો.