અંધારિયા ભુજીયા રિંગરોડ પર અસામાજીક તત્વો દ્વારા અવારનર ચોરી અને લૂંટ


ભુજીયો રીંગરોડ પર અવારનવાર આ રસ્તા પર ચોરી, લૂંટ સહિતના બનાવો થતાં હોય છે. જો કે વિશાળ એવા રિંગ રોડ પર ક્યાંય સરકારી સીસીટીવી કેમેરા આવેલા નથી. આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર, આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધીના ભુજીયા રીંગરોડ પર અવારનવાર ચોરી અને લૂંટ જેવા બનાવો થતાં હોય છે. રાતના સમયે તો આ રોડ પરથી પસાર થવું પણ ઘણું મુશ્કેલ બની જાય છે. એક બાજુ તો આ રસ્તા પર રહેતા લોકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે.
બીજી બાજુ લાઈટો પણ બંધ છે.અગાઉ સોલાર લાઈટો ફીટ કરવામાં આવી હતી, પરંતુ તે સામાજિક તત્વો દ્વારા ચોરી કરાઇ ગઈ. રાતના સમયે અંધારું અને લાઈટ ન હોવાના કારણે આ રોડ પર અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી રાહે છે તેઓ અહીંથી પસાર થતાં નિર્દોષ લોકોને શિકાર બનાવી લૂંટી લે છે. અવારનવાર આવા બનાવો સામે આવતા હોવા છતાં પણ આ રોડ પર કેમેરા લગાવવામાં આવ્યા નથી. હાલમાં અહીં એક મોબાઇલ ટાવરની કંપનીએ પોતાના ટાવરની સુરક્ષા માટે કેમેરા લગાવ્યા છે ત્યારે પોલીસ દળ દ્વારા પણ આ રોડના વિવિધ પોલ પર કેમેરા લગાવવામાં આવે તો ગુનાહિત તત્વો પર રોક લગાવી સકાય.