માનકુવા ગામમાં પતિના ત્રાસથી કંટાડી 22 વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

મુળ આદીપુરની અને માનકુવા સદુરાઇ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાડીને ફાસો ખાઇ આત્મહત્યા કરી લેતાં માનકુવા પોલીસ મથકમાં પતિ વિરુદ્ધ ફરિયાદ દર્જ કરવામાં આવી છે. આદીપુરના રામબાગ હોસ્પિટની બાજુમાં રહેતી માની ઉર્ફે મનિષા જયંતીભાઇ ભીલ નામની યુવતીએ સાત મહિના પહેલા સોસાયટીમાં કાર ચલાવતા રામજી ભારમલ બારોટ સાથે ભાગીને કોર્ટમાં પ્રેમ લગ્ન કર્યા હતા. આ દરમિયાન દિકરીના ગુમ થયા અંગે પરિવારજનોએ આદીપુર પોલીસ મથકમાં ગુમ થવાની નોંધ દાખલ કરી હતી.

રાત્રે છેલ્લે હતભાગીએ આત્મહત્યા કરતાં પહેલા માતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેનો પતિ રામજી સતત તેની સાથે મારકુટ કરે છે હવે મારે અહીં નથી રહેવું. તેવી વાત કર્યા બાદ માનકુવામાં સ્થિત મનિષાબેને ફાસો ખાઇ આપઘાત કરી લીધું હતું. ઘટના અંગે આદીપુર પોલીસ દ્વારા મનિષાના પરિવારને જાણ કરતાં માનકુવા પોલીસ મથકમાં દિકરી મનિષાને મરવા માટે મજબુર કરનાર પતિ રામજી ભારમલ બારોટ વિરુદ્ધ શારિરીક ત્રાસ આપવા અંગે ફરિયાદ કરાઇ હતી.

ફરિયાદી ગીતાબેન જયંતીભાઇ ભીલે પોલીસને જણાવ્યું હતું કે, તેમની હતભાગી દિકરીએ પ્રેમ લગ્ન કર્યા પછી ક્યાં રહેતી હતી તે પતિ રામજીના ડરને કારણે માતા-પિતાને જણાવ્યું હતું નહીં. ભાઇ વિશાલ તથા માતા સાથે ફોન પર વાત કરતી હતી. રાત્રીના છેલ્લા ફોન પર રડતા રડતા વાત કરી હતી કે, મારો પતિ મારી સાથે મારકુટ કરે છે, અને ક્યાં રહીએ છીએ તે જણાવાની ના કહે છે. તમારા પાસે આવવા નથી દેતો તેવી વાત કરી હતી. જ્યારે સવારે દિકરી મનિષાએ માનકુવા ગામમાં આત્મહત્યા કરી લીધી હતી.