કુકમામાં એસ.ટી. બસે સર્જેલા અકસ્માતમાં ત્રીજી વ્યક્તિનું મોત


કુકમા બસ સ્ટેશન પર બેકાબુ બનેલી એસટી બસે સર્જેલા અકસ્માતમાં આઠેક જેટલા વાહનોને અડફેટે લઈ લીધા હતા. જેમાં બાઇક સવાર અંજારના ખંભરા ગામના 54 વર્ષિય મણિલાલ કારૂભાઇ મહેશ્વરીનું સારવાર પહેલા જ મૃત્યુ થયું હતું. ગઢશીશાના 23 વર્ષીય આરીફ કાસમ ખલીફા અને કુકમાના 54 વર્ષીય વિપિન જયંતીલાલ પરમારનું સારવાર દરમિયાન મોત મૃત્યુ નીપજયું હતું. આમ આ અકસ્માતમાં મરણ આંક ત્રણ થયો છે.
પધ્ધર પોલીસ મથકમાં માધાપર રહેતા અને કાપડની ફેરી કરતા ભાવિક પ્રવિણભાઇ સોનીએ અકસ્માત સર્જનારા એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. એસ.ટી બસે કુકમા બસ સ્ટેશન પર કાબુ ગુમાવ્યુ ફરિયાદી જેમાં બેઠા હતા.
બીજી બાજુ ઘાયલોમાં જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરીફ ખલીફાએ દમ તડયો હતો. તો, ગુરૂવારે સવારે લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વિપિનભાઈનું પણ મૃત્યુ થયું. આમ, કુકમા ગામે સર્જાયેલા અકસ્માતના બનાવોમાં ત્રણ વ્યક્તિઓના અકાળે મૃત્યુ નીપજ્યા. પધ્ધર પોલીસે અકસ્માત કરનારા એસ.ટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.