જામનગરમાં કુતરા ભગાડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી, યુવાનની હત્યા કરવાનો પ્રયાસ

જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58 વિસ્તારમાં જલેશ્વરી વસ્તુ ભંડારથી આગળ શેરીમાં એક યુવાન પર પાડોશી પરિવારે હુમલો કરી હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સ્ટેસનમા ફરિયાદ નોંધાઇ છે. તારીખ 1ના રોજ રાત્રે 10:00 વાગ્યાના સુમારે જયદીપ અશોકભાઈ દામજીભાઈ મંગે નામના 21 વર્ષીય યુવાન પર પાડોશમાં રહેતા માધવજીભાઈ ચાંદ્રા મિલનભાઈ ચાંદ્રા વિશાલ ગોસ્વામી અમિત ભદ્રા અને ખુશાલ ગોસ્વામી નામના સક્ષોએ બોલાચારી કરી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં આડેથડ મારવામાં આવતા જયદીપને માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડવાની આરોપીઓએ પ્રયાસ કર્યો હતો આ બનાવના પગલે ઘાયલ જયદીપ ના કાકા ભરતભાઈ દામજીભાઈ મંગે પણ દોડી આવ્યા હતા તેઓને પણ આરોપીઓએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવવા અંગે સમાધાન થઈ ગયા બાદ ફરી વિવાદ થતા ભરતભાઈ મંગે એ તમામ આરોપીઓ સામે પોલીસ દત્તરમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ઘાયલ જયદીપ દૂધ લેવા જતો હતો ત્યારે શરીરમાં કૂતરાને તગડવા પથ્થર મારતા આ પથ્થર આરોપી માધવજી ના ઘરની ડેલીમાં લાગ્યો હતો જેને લઈને આરોપીઓએ જયદીપ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો છે પોતાના ભત્રીજા પર થયેલા હુમલા ના પગલે ભરતભાઈ બહાર આવ્યા હતા અને તેઓએ આરોપીઓ ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીઓએ તેની પર પણ હુમલો કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે