વાંકાનેરમાં ફાંસો ખાઇ જીવાનને ટૂંકાવી દેવાની 3 ઘટના આવી સામે


વાંકાનેર પંથકમાં શુક્રવારે ફાંસો ખાઇ મોત જીવન ટૂંકાવી લેવાની ત્રણ ઘટના બની જેમાં એક મહિલા સહિત ત્રણના મોત થતાં અરેરાટી વ્યાપી છે.
વાંકાનેરમાં આપઘાતના અલગ અલગ 3 બનાવ સામે આવ્યા છે. જેમાં એક મહિલા અને બે યુવાને ગળે ફાંસો ખાઈ લેતાં મોત નિપજ્યા છે.આ ઘટનાની મળતી વિગતો અનુસાર વાંકાનેરમાં બનેલી આપઘાતની પ્રથમ ઘટનામાં વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિંહ ઇશ્વરસિંહ રાજપૂત ઉ.20 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી ઘટનામાં વાંકાનેર આરોગ્ય નગરમાં રહેતા સંદીપભાઇ જગદીશભાઈ ગોરીયા ઉ.26 નામના યુવકે કોઇ કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યૂ હતું. પોલીસે ઘટનાની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્રીજી ઘટનામાં વાંકાનેરના ખડીપરા નવાપરા વિસ્તારમાં રહેતા ભાવનાબેન હર્ષદભાઈ ધોળકિયા ઉ. 36 નામના મહિલાએ પોતાના ઘેર ફાંસો ખાઈ જીવન ડોર ટૂંકાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી. આ ત્રણેય લોકોએ જીંદગી શા માટે ટૂંકાવી લીધી એ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.