ગુજરાત બંધના એલાન વચ્ચે, કોંગ્રેસેનો ભરૂચ-દહેજ માર્ગ પર ટાયરો સળગાવી વિરોધ

copy image

કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી,વેપારીઓ દુઃખી હોવાના આક્ષેપ સાથે આજે ગુજરાત બંધનું એલાન આપાયું છે. સવારે 8થી 12 સુધી બંધનું એલાન આપવા સાથે વેપારીઓ, ખેડૂતો સહિત બેરોજગારોને જોડાવવા માટે અપીલ કરાઈ હતી. કોંગ્રેસ ગુજરાત બંધના એલાન વચ્ચે ભરૂચ-દહેજ માર્ગ ઉપર ટાયરો સળગાવી વિરોધ નોંધાવાયો. માર્ગ બંધ કરાતા વાહન ચાલકો હેરાન થયા હતા.

જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય પાસે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા અને પેમ્પલેટ વેચી લોકોને બંધ પાડવા અપીલ કરવા સાથે ચક્કાજામનો પ્રયત્ન કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોની અટક કરી એ ડિવિઝન પોલીસ મથકે લઇ જતાં કોંગ્રેસ અગ્રણીઓએ આક્રોશ ઠાલવ્યો.