ભારતીય મજદૂર સંઘ: જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હવે સરકાર વિરુદ્ધ પ્રચાર કરવાની ફરજ પડશેની ચીમકી અપાઈ

copy image

વિવિધ પડતર માંગણીઓને લઈને ભારતીય મજદૂર સંઘની આગેવાની તળે સોમવારે આંગણવાડી વર્કર, મધ્યાહ્ન ભોજન, આશા વર્કર, જીએમડીસીના ફરજ બજાવતા કર્મચારીઓ, એસ.ટી. મજદૂર સંઘના સભ્યો વગેરેએ જિલ્લા સમાહર્તાને પડતર પ્રશ્નોના નિરાકરણ ગાંધીનગર સ્તરેથી તાત્કાલિક આવે તે માટે સમગ્ર રાજ્યની સાથે ભુજમાં આવેદન પત્ર અપાયું હતું. આ બધા વિભાગમાંથી એક હજારથી વધુ કર્મચારીઓ જોડાયા. આંદોલન કરવા છતાં  પણ કોઈ પ્રશ્નનું ઉકેલ આવ્યું નથી.

જેના સંદર્ભમાં ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં પ્રદેશના પદાધિકારીઓ અને વિવિધ ફેડરેશનના પ્રમુખ અને મહામંત્રીઓની એક બેઠક અમદાવાદ મધ્યે મળી. જેમાં નક્કી થયા અનુસાર રાજ્યમાં એકસાથે આવેદન પત્ર અપાયું હતું. સંઘ દ્વારા ચીમકી અપાઈ  કે, હવે જો કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ભા.મ.સંધ આગામી ચુંટણી વેળાએ કર્મચારી/કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ભાજપની સરકાર વિરુદ્ધ પ્રચાર-પસાર કરવામાં આવશે.