જામનગર બાયપાસ પાસે કારમાં રિવોલ્વરમાંથી ગોળી ધરબી યુવાને આપઘાત કર્યું

copy image

જામનગર બાયપાસ સમરસ હોસ્ટેલથી આગળ હાઇવે પર કારમાં ગોળી લાગેલી લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસની ટિમ તાત્કાલિક દોડી ગઇ હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, ખંભાળિયાના વીજલપર ગામના સરપંચના પુત્રએ અગમ્ય કારણોસર પોતાના પિતાની લાયસન્સ વાળી રીવોલ્વર લઇ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવતા પોલીસે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી.
જામનગર બાયપાસ રોડ સમરસ હોસ્ટેલથી ખીજડીયા બાયપાસ તરફ જતાં રસ્તા પર આઇ 20 કાર જીજે-10DE-8071 માં યુવાનની લાશ પડી હોવાનું પદયાત્રીઓના ધ્યાને આવતા તેમને તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરતા પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને તેમાં જોવા મળ્યુ હતું કે, યુવાને પોતાના હાથે રીવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાત કરી લીધો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આ યુવાન ખંભાળિયા વીજલપર ગામના સરપંચ પીઠાભાઇ ઝીણાભાઇ ડેરનો પુત્ર જય (ઉ.વ.23) હોવાનું બહાર આવ્યું હતું. તેણે પોતાના પિતાની ગેરહાજરીમાં તેના પિતાની લાયસન્સ વાળી રિવોલ્વર જે લોકરમાં રાખવામાં આવી હતી તેને ચાવી વડે ખોલી લઇ જઇ બાયપાસ પર આપઘાત કર્યો હતો. પોલીસે સમગ્ર બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી PSI જે.પી. સોઢાએ તપાસ હાથ ધરી.