જામનગરમાં ઓશવાળ શિક્ષણ-રાહત સંઘની ચૂંટણીમાં 3,135 મત પડ્યા


ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘની જામનગરમા પ્રતિનિધિઓની ચૂંટણીમાં 3,135 મત પડયા હતાં. 32 બેઠક માટે બે પેનલના કુલ 64 ઉમેદવાર મેદાનમાં. ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થયું. મોડીરાત્રી સુધી મતગણતરી ચાલુ રહી હતી.
ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘના જામનગર વિભાગના પ્રતિનિધિઓની ચૂંટણી રવિવારે યોજાઇ હતી. શહેરના ઓશવાળ સેન્ટરમાં ચૂંટણીનું મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં કુલ 32 બેઠક છે. જેમાં નવચેતન પેનલના 32 અને ક્રાંતકારી પેનલના 32 મળી કુલ 64 ઉમેદવાર મેદાનમાં છે.
ચૂંટણી માટે સવારે 9 થી સાંજે 5 સુધી બેલેટ પેપરથી મતદાન થયું હતું. કુલ 3,135 મત પડયા હતાં. મોડી રાત્રી સુધી મતગણતરી ચાલુ રહી હતી. ચૂંટણી પંચમાં હાલારી વિશા ઓશવાળ સમાજના વિમલ સુમરિયા, ભરત દોઢિયા, પ્રવીણ મારૂ, અજય દોઢિયા, બીજલ ગડા, હિરેન ગુઢકા અને રીકીન શાહે સેવા આપી હતી. પરિણામ પર સૌની મીટ મંડાઇ છે.