આતંક ફેલાવતી બિચ્છુ ગેંગના વધુ 2 ગુનેગારો ઝડપાયા

ઓખા મંડળમાં આંતક ફેલાવતી બિચ્છુ ગેંગના વધુ બે ગુનેગારોને પોલીસે પકડી પાડયા. બંને ગુનેગારોને અદાલતે 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે પૂછપરછ હાથ ધરી. ગેંગના 12 ઇસમો સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષથી આંતક મચાવનાર બીચ્છુ ગેંગના અગાઉ 12 જેટલા ઇસમો સામે ગુજસીટોકનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. દ્વારકા જીલ્લાના પોલીસ વડા નીતેશકુમાર પાંડેય દ્વારા આંતક ફેલાવતી ચકચારી બીચ્છુ ગેંગના કુલ-12 આરોપીઓને થોડા સમય અગાઉ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરાયા હતાં.

આ સિવાય બીચ્છુ ગેંગના અન્ય સાગરીતો તેમજ બિચ્છુ ગેંગના સક્રીય સભ્યોને પકડવા DYSP હિરેન્દ્ર ચૌધરી , મીઠાપુર PICL દેસાઇ અને તેમની ટીમ દ્વારા ગેંગના સક્રીય સભ્ય મેરૂભા વાલાભા માણેક (રહે.મેવાસા સીમ) તથા રાયદેભા ટપુભા કેર(રહે. ટોબર ગામ) ને પકડી ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓની વધુ પુછપરછ માટે પોલીસે ગુજસીટોક કોર્ટ રાજકોટમાં રીમાન્ડની માંગણી કરી હતી આથી કોર્ટે બન્ને આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.