ઝાંખર ગામની સીમમાંથી પકડાયેલ 58 લાખના વિદેશી દારૂના કેસમાં નાશી ગયેલ આરોપી જોગવડથી ઝડપાયો

copy image

દારૂના કેસમાં ફરાર એક શખ્સને જામનગર LCB પોલીસે જોગવડ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, મેઘપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હામાં ગત તા.14/03/2022ના રોજ લાલપુર તાલુકાના ઝાંખર ગામની સીમમાંથી રૂ. 58,38,000 ની કિમતની 11,676 દારૂની બોટલ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી. આ કેસનો આરોપી નાશી ગયો હતો તે દરમ્યાન LCB ના ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી અને રાકેશભાઈ ચૌહાણ ને આરોપી જોગવડ ગામે હોવાની મળેલ બાતમીના આધારે આરોપી રાજદાણ નાથસુર સુમાત નામના ઇસમને જોગવડ ગામેથી દબોચી લીધો હતો.
આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી LCB ના PI કે.જે.ભોયે ની સૂચનાથી PSI આર.બી.ગોજિયા, CM કાંટેલિયા, એ.બી.ગંધા, કે.એચ.ભોચીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, માંડણભાઈ વસરા, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.