અમદાવાદમાં 49% ફૂટપાથ પર દબાણ, 28% રોડ પર પાર્કિંગ થાય છે, અકસ્માતોમાં વધારો વધુ 162 રાહદારીનાં મોત

copy image

2021માં દેશના જુદા જુદા 52 શહેરમાંથી અમદાવાદ સૌથી વધુ 162 રાહદારીના અકસ્માતે મોત સાથે પ્રથમ ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદમાં પ્રત્યેક અઠવાડિયે સરેરાશ 3 રાહદારી અકસ્માતમાં મૃત્યુ પામે છે. અમદાવાદમાં રોડનું નેટવર્ક અંદાજે 1694 કિલોમીટરનું છે. જેમાંથી અંદાજે 15% એટલે કે 252 કિલોમીટર ફૂટપાથ છે જ્યારે 2.12 % એટલે કે 18 કિલોમીટર સાઈકલ નેટવર્ક છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ફૂટપાથ પર 49% દબાણ છે. જ્યારે 28% ફૂટપાથનો ઉપયોગ લોકો વાહન પાર્કિંગ માટે કરે છે. 2021માં થયેલા કુલ 775 અકસ્માતમાંથી 265 અકસ્માતમાં રાહદારીઓનો જ સમાવેશ થતો હતો. અહેવાલ મુજબ 2021માં થયેલા અકસ્માતોમાં મૃત્યુ પામનારા 40% લોકો રાહદારી હતા. અમદાવાદમાં ટુ-વ્હીલર ચલાવતા 173 લોકોના મોત નીપજ્યા હતા. મેટ્રોપોલિટન સિટીના આંકડા મુજબ કોલકાતામાં રોડ અકસ્માતમાં 92, દિલ્હીમાં 80, મુંબઈમાં 64 અને ચેન્નઈમાં 3 રાહદારીના મોત થયા હતા
માર્ગ અકસ્માતમાં મૃત્યુની ટકાવારીની વાત કરીએ તો સમગ્ર દેશનો રેશિયો 12% હતો પરંતુ ગુજરાતમાં આ આંક 18% જેટલો ઊંચો રહ્યો છે. 2019માં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 53 હતી જે વધીને 2020માં 151 થઈ હતી. અમદાવાદ ટ્રાફિક કન્સલેટિવ કમિટીના પ્રમુખ ડો. પ્રવીણ કાનાબારે જણાવ્યું કે, ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપલાઈનનો અભાવ જેવા કારણો અકસ્માત માટે જવાબદાર છે. આ કારણે માત્ર અકસ્માતોની સંખ્યા વધતી નથી પરંતુ સ્પીડમાં આવતા વાહનોને કારણે મૃત્યુનો આંકડો વધી રહ્યો છે
ચાલવાની જગ્યા પર દબાણ ગંભીર ચિંતાનો વિષય છે. સેપ્ટ યુનિવર્સિટીએ કરેલા સરવેમાં અમદાવાદ 1,694 કિલોમીટરના પરિઘમાં ફેલાયેલું છે જેમાં ફૂટપાથ માટે માત્ર 252 કિલોમીટરની જગ્યા છે. જયારે 49% જગ્યા પર દબાણ છે. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે નાગરિકો પાસે રોડ પર ચાલવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી. કોર્પોરેશને નાગરિકો માટે ચાલવાની જગ્યા મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. આ માટે એન્ફોર્સમેન્ટ પણ એક ઉપાય બની શકે છે જેમ કે મુંબઈની જેમ કેટલાય શહેરોમાં અમુક ચોકક્સ સ્થળોએ ઓટો અને ટેકસીવાળાઓને પિકઅપ કે ડ્રોપ કરવા પર પ્રતિબંધ હોય છે.

2021માં દેશના જુદા જુદા 52 શહેરમાંથી અમદાવાદ સૌથી વધુ 162 રાહદારીના અકસ્માતે મોત સાથે પ્રથમ ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના તાજેતરના અહેવાલ મુજબ અમદાવાદમાં પ્રત્યેક અઠવાડિયે સરેરાશ 3 રાહદારી અકસ્માતમાં મૃત્યુ પામે છે. અમદાવાદમાં રોડનું નેટવર્ક અંદાજે 1694 કિલોમીટરનું છે. જેમાંથી અંદાજે 15% એટલે કે 252 કિલોમીટર ફૂટપાથ છે જ્યારે 2.12 % એટલે કે 18 કિલોમીટર સાઈકલ નેટવર્ક છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ફૂટપાથ પર 49% દબાણ છે. જ્યારે 28% ફૂટપાથનો ઉપયોગ લોકો વાહન પાર્કિંગ માટે કરે છે. 2021માં થયેલા કુલ 775 અકસ્માતમાંથી 265 અકસ્માતમાં રાહદારીઓનો જ સમાવેશ થતો હતો. અહેવાલ મુજબ 2021માં થયેલા અકસ્માતોમાં મૃત્યુ પામનારા 40% લોકો રાહદારી હતા. અમદાવાદમાં ટુ-વ્હીલર ચલાવતા 173 લોકોના મોત નીપજ્યા હતા. મેટ્રોપોલિટન સિટીના આંકડા મુજબ કોલકાતામાં રોડ અકસ્માતમાં 92, દિલ્હીમાં 80, મુંબઈમાં 64 અને ચેન્નઈમાં 3 રાહદારીના મોત થયા હતા
માર્ગ અકસ્માતમાં મૃત્યુની ટકાવારીની વાત કરીએ તો સમગ્ર દેશનો રેશિયો 12% હતો પરંતુ ગુજરાતમાં આ આંક 18% જેટલો ઊંચો રહ્યો છે. 2019માં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 53 હતી જે વધીને 2020માં 151 થઈ હતી. અમદાવાદ ટ્રાફિક કન્સલેટિવ કમિટીના પ્રમુખ ડો. પ્રવીણ કાનાબારે જણાવ્યું કે, ફૂટપાથ, ઝેબ્રા ક્રોસિંગ અને સ્ટોપલાઈનનો અભાવ જેવા કારણો અકસ્માત માટે જવાબદાર છે. આ કારણે માત્ર અકસ્માતોની સંખ્યા વધતી નથી પરંતુ સ્પીડમાં આવતા વાહનોને કારણે મૃત્યુનો આંકડો વધી રહ્યો છે
ચાલવાની જગ્યા પર દબાણ ગંભીર ચિંતાનો વિષય છે. સેપ્ટ યુનિવર્સિટીએ કરેલા સરવેમાં અમદાવાદ 1,694 કિલોમીટરના પરિઘમાં ફેલાયેલું છે જેમાં ફૂટપાથ માટે માત્ર 252 કિલોમીટરની જગ્યા છે. જયારે 49% જગ્યા પર દબાણ છે. યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવે નાગરિકો પાસે રોડ પર ચાલવા સિવાય કોઈ વિકલ્પ જ રહેતો નથી. કોર્પોરેશને નાગરિકો માટે ચાલવાની જગ્યા મળે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. આ માટે એન્ફોર્સમેન્ટ પણ એક ઉપાય બની શકે છે જેમ કે મુંબઈની જેમ કેટલાય શહેરોમાં અમુક ચોકક્સ સ્થળોએ ઓટો અને ટેકસીવાળાઓને પિકઅપ કે ડ્રોપ કરવા પર પ્રતિબંધ હોય છે.

અમદાવાદ શહેરમાં ફૂટપાથ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રકચરનું ઓડિટ કરવાનો મેસેજ આપે છે અને આવા સ્થળોને ખાસ એકઝામિન કરવાની જરૂર છે જ્યાંઆ અકસ્માતો સર્જાયા છે. ખાસ કરીને SG હાઈવે અને SP રિંગ રોડને પણ સાંકળી લેવા જોઈએ જે હવે શહેરનો એક ભાગ બની ચૂકયા છે. અકસ્માત થવાના કારણોનો અભ્યાસ કરવો હવે જરૂરી બન્યો છે.