ગોરાણામાં કરિયાવર બાબતે પતિએ પત્નીને માર માર્યો

ખાંભા તાલુકાના જામકામા રહેતા અને ગોરાણામા સાસરે સ્થિત મહિલાને તેના પતિ સહિત સાસરીયાએ કરિયાવર બાબતે શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા તેણે આ અંગે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી છે.

મહિલાને મારમાર્યાનો આ બનાવ ખાંભાના ગોરાણામા બન્યો હતો. અહી રહેતા શિલ્પાબેન સંજયભાઇ સરવૈયા (ઉ.વ.22) નામના મહિલાએ ખાંભા પોલીસ મથકમા દાખલ કરાવેલ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમના લગ્ન પાંચ વર્ષ પહેલા સંજય સરવૈયા સાથે થયા હતા. તેમને સંતાનમા બે દીકરા છે. તેઓ સંયુકત કુટુંબમા રહેતા હતા. લગ્નના થોડા સમય પછી પતિએ નાની નાની બાબતોમા મારી સાથે માથાકુટ કરતા.

તેમજ સસરા પુંજાભાઇ, સાસુ રાણીબેન, દિયર નિલેશભાઇ વિગેરેએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો અને પતિએ મારકુટ કરી હતી. ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ એસ.ટી.મેર આગળની કાર્યવાહી કરી રહ્યાં છે.