ભરૂચના નીલકંઠ મંદીરના નર્મદા નદી કિનારે માલધારી સમાજે કર્યું દૂગ્ધાભિષેક


પશુપાલકો વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના અનુસંધાને ખુબ આક્રોશમાં હોવાના કારણે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે આજે માલધારી સમાજની નિલકંઠ મંદિરથી નર્મદા ચોકડી થઈ દુધના કેન સાથે રેલી કાઢવામાં આવી હતી અને નીલકંઠ મંદીરે નર્મદા નદી કિનારે પહોંચી જઈ દૂગ્ધાભિષેક કર્યું. માલધારી સમાજ અને પશુપાલકો કેમ આક્રોશમાં છે તેનાં કારણો જોતાં ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના લીધે માલધારી સમાજ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. તેથી ચોર્યાસી ડેરી, અમુલ ડેરી, સુમુલ ડેરીમાં આજે દૂધની હડતાલનું માલધારી સમાજ દ્વારા એલાન અપાયું છે.