રાપરના ફતેહગઢમાં વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં અર્બુદા સેના દ્વારા સભા યોજાઇ

પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના વડા વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં આંજણા ચૌધરી સમાજ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે આવેદનપત્રો આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો ચ્હે. આ ઘટનાના પડઘા છેવાડાના વાગડ વિસ્તારમાં પણ પડ્યા છ. આંજણા ચૌધરી સમાજ દ્વારા ગતરોજ રાપર મધ્યે આવેદનપત્ર અપાયું હતું, પરંતુ સરકાર દ્વારા કોઈ ગંભીર નોંધ ના લેવામાં આવતા તાલુકાના ફતેગઢ ગામમાં જંગી જન સંખ્યામાં અર્બુદા સેના દ્વારા સભા યોજવામાં આવી હતી. જેમા વાગડ અને ચોરાડ ગામોના સમાજના યુવાનો, વડીલો,રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.
સભા દરમ્યાન જણાવાયું હતું કે વિપુલ ચૌધરી ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છેં. આવતીકાલે મહેસાણા મધ્યે અર્બુદા સેના દ્વારા મહા સંમેલન યોજવાનું છેં, જેમાં જ્યાં સુધી વિપુલભાઈ ઉપર ખોટા કેસો પાછા નહીં ખેંચાય ત્યાં સુધી દિવસે ને દિવસે ઉગ્ર વિરોધ સાથે કાર્યક્રમો યોજવની ચીમકી ઉચ્ચારાઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર પડશે, જેની જવાબદારી રાજ્ય સરકારની રહેશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી હતી. જેમા વાગડ -ચોરાડ આંજણા ચૌધરી સમાજ સાથે રાધનપુર, પાટણ, બનાસકાંઠા અને કચ્છભર માંથી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી આવ્યા હતાં જેમાં દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી મઘાભાઈ કાદરી, સામાજિક અગ્રણી ફતેગઢ, ટીનાભાઇ ચૌધરી કચ્છ પ્રભારી અર્બુદા સેના, સાગરભાઈ ચૌધરી., કનુભાઈ ચૌધરી, પરબત કારા ચૌધરી, દિલીપભાઈ ચૌધરી,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.