ભુજના રોડ રસ્તાની હાલત જર્જરિત હોતા પાલિકા હવે ક્યારે મરંમત કરશે!


શહેરમાં ચોમાસા દરમિયાન 50 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેણે તૂટેલા રસ્તા વધુને વધુ તોડી નાખ્યા છે આવા માર્ગોથી લોકો હવે કંટાળ્યા છે. સૌના મોઢે હવે એક જ પ્રશ્ન છે કે, ક્યાંક રેતી, ક્યાંક લંકીના પથ્થરા તો ક્યાંક ખાડામાં રોડ અને રોડમાં ખાડાથી છૂટકારો મળશે ક્યારે.
ભુજમાં જેના નિકાલની પૂરતી વ્યવસ્થા નથી, જેથી લોકોએ ગટરની ચેમ્બર ખોલીને પાણીનો નિકાલ કર્યો હતો, જેથી વરસાદી પાણી સાથે આવતી માટી ધીરે ધીરે ગટરની લાઈનમાં જમા થઇ રહી છે. જેણે ગટરના ગંદા પાણીનો પ્રવાહ અવરોધ્યો હતો, જેથી ગટરની લાઈનો પણ બેસવા લાગી ગઈ.
જેની મરંમતમાં પણ માર્ગો ખોદવામાં આવ્યા છે, જેથી ક્યાંક રેતી, ક્યાંક લંકીના પથ્થરા નાખી સમતલ કરવાનો પ્રયત્ન થયો. છતાં ક્યાંક ખાડા ખાબોચિયા રહી ગયા છે. જે માર્ગો વાહનો તો ઠીક પણ ચાલકોની કમર પણ તોડી દે છે, જેમાંથી હવે લોકો છૂટકારોની ઈચ્છા રાખી રહ્યા છે, જેથી પ્રશ્ન થાય છે કે, પાલિકા હવે ક્યારે મરંમત કરશે.