ભચાઉ તાલુકાના નેર ગામે પુલિયા માં વાપરવામાં આવે છે નબળી ગુણવત્તા વાળો માલ.

ભચાઉ તાલુકાનાં નેર ગામમાં બનાવવામાં આવેલ બે નાના પુલિયા તેમજ એક મોટો બ્રિજ તેમજ નાની પાપડી જેના કામમાં નબળી ગુણવત્તાનું માલ વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે આ બાબતનું પ્રસારણ ટીવીમાં કરાતા નરસીહ ભાઈને કોન્ટ્રાકટર દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપવામાં હતી. ત્યારે આ કામ રૂપિયા બે કરોડ પચાસ લાખ નું થાય છે. આ કામમાં બે કિલોમીટર રોડ બનાવવામાં આવ્યું છે. જેમાં ડામર પાથરવાનું બાકી છે. અને રોડ રોલર ફરાવામાં નથી આવ્યું જેના લીધે કાંકરીઓ ઊડે છે. અને આ કાંકરીઓ લાગવાથી બે લોકો ને ઇજા પણ પહોચી છે.