દાહોદમાં પત્ની તરીકે રાખવાના ઇરાદાથી કરાયા બે તરુણીઓના અપહરણ

સંતરામપુરના ઉબેરનો હિતેશ માનસીંગ માલીવાડ સાંજે ફતેપુરા તાલુકાના નવાગામથી 16 વર્ષ 2 મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી કાયદેસરના વાલીપણામાંથી પત્ની તરીકે રાખવાના ઇરાદાથી અપહરણ કરી ભગાડી લઇ ગયો. કોઇ કામ માટે ગયેલી તરૂણી મોડે સુધી ઘરે નહી આવતાં શોધખોળ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સંતરામપુર તાલુકાના ઉબેર ગામનો હિતેશ માનસીંગ માલીવાડ તરૂણીને પત્ની તરીકે રાખવા ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું.

હિતેશ માલીવાડના ઘરે તરૂણીનો પરિવાર તપાસમાં જતાં પરત સોપી દઇશુ તેમ જણાવાયુ હતું પરંતુ આજ દિવસ સુધી તરૂણીને પાછી નહી સોંપતા તરૂણીના પિતાએ હિતેશ માનસીંગ માલીવાડ સામે ફતેપુરા પોલીસમાં અપહરણની ફરિયાદ દાખલ કરાવી હતી.

બીજા બનાવમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના મોતીસાગર ગામનો પ્રવિણ મનોજ પ્રજાપતિ બપોરના ત્રણ વાગ્યાના સમયગાળામાં રળીયાતી ગામેથી એક 14 વર્ષ બે મહિનાની તરૂણીને પ્રેમના પાઠ ભણાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા અપહર કર્યો હતો. આ આંગેની જાણ તરૂણીના પરિવારને થતા શોધખોળ કરી હતી પરંતુ આજ દિવસ સુધી કોઇ પત્તો ન લાગતા તરૂણીની માતાએ પ્રવિણ મનોજ પ્રજાપતિ સામે દાહોદ તાલુકા પોલીસ મથકે અપહરણની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.