વાંકાનેરમાં ખુલ્લી રાખેલી ગટરમાં ટ્રેક્ટર ફસાયુ


મનમંદિર સોસાયટીમાં લોકો વર્ષોથી ખુલ્લી ગટર, ધૂળિયા રસ્તાઓ જેવી અનેક સમસ્યાઓથી પરેશાન છે પરંતુ વહીવટદાર દ્વારા પણ લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પગલાં લેવામાં નથી આવ્યા. મનમંદિર સોસાયટીમાં પાલિકાની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો જેમાં ખુલ્લી છોડી દેવાયેલી ગટરમાં ટ્રેકટરનું વ્હીલ ઉતરી જતાં ઘડીભર તો ચાલકનો જીવ અધ્ધર ચડ્યો હતો પરંતુ સદનસીબે જાનહાનિ થતાં ટળી હતી.
આ ઘટના નજરે જોનારા લોકોના હૈયા પળવાર માટે અધ્ધરથઈ ગયા હતા પરંતુ ચાલકનો જીવ બચી જતાં હાશકારો અનુભવ્યો હતો, બીજી બાજુ લોકો હવે વહીવટદાર પાસે એવી આશા રાખી રહ્યા છે કે તહેવારો આવી છે ત્યારે લોકોને આવી જૂની પુરાણી સમસ્યાઓમાંથી છૂટકારો મળે.