ઉન મંદિર પાસે અકસ્માત: આધેડનું મૃત્યુ, પત્ની-પુત્ર ઇજાગ્રસ્ત

નવસારીમાં ઉન સાંઇબાબાના મંદિર પાસેથી પસાર થતી બાઇકને અજાણ્યા લકઝરી બસ ચાલકે અડફેટે લીધું હતું. જેમાં બાઇક પર બેસેલા 2ને ઇજા પહોચી હતી. જ્યારે એકનું મૃત્યુ નીપજયું હતું. બનાવની જાણ ગ્રામ્ય પોલીસમાં કરતા વધુ તપાસ પીએસઆઈ કે.આર.કેસરિયા કરી રહ્યા છે.

નવસારીના ગણેશ સિસોદ્રા ગામમાં રહેતા પ્રફુલ શુક્કરભાઈ આહિરે ફરિયાદ આપતા જણાવ્યું કે, તેમના સબંધી લાલુભાઈ આહીર, મંજુબેન લાલુભાઈ આહીર અને માસીનો દીકરો નીતિન લાલુ આહીર પોતાની મોટર સાયકલ નંબર GJ21 AE 3790 ઉપર દોણજાથી નવસારીમાં સ્વામીનારાયણ મંદિર તરફ જતા હતા.

ઉન ગામ પાસે પસાર થતા હતા ત્યારે લકઝરી બસ નંબર GJ 07 F 8998ના અજણ્યા ચાલકે પુરપાટે હંકારી લાવી બાઇકને અડફેટે લેતા બાઇક પરથી તમામ પડી ગયા હતા. જેમાં ચાલક લાલુભાઈ આહીર ઉ.વ.57ને પગ અને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં તેમને વધુ સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજયું હતું. જ્યારે મંજુબેન અને નીતિન આહીરને પણ ઇજા પહોચી હતી. બનાવની વધુ તપાસ પીએસઆઈ કે.આર.કેસરિયા ગ્રામ્ય પોલીસ કરી રહ્યા છે.