ચલાલામાં મહિલા શરીર પર કેરોસીન છાંટી સળગી જઈ આપઘાત કર્યું


ચલાલામા દહિડાપરા વિસ્તારમા રહેતા એક મહિલાએ બિમારી ઉપરાંત પારિવારીક તકલીફના કારણે શરીર પર કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી લીધી હતી.અહી રહેતા દિવાળીબેન જીવણભાઇ રાઠોડ (ઉ.વ.45) નામના મહિલાને પેટમા દુખાવો, હ્દય અને મગજની તકલીફ હોવાથી તેમની દવા ચાલુ હતી.
તેમજ પારિવારીક તકલીફ સમસ્યાના લીધે તેમણે પોતાના ઘરે શૌચાલયમા જઇ કેરોસીન છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝ્યા હતા.મહિલાને સારવાર માટે પ્રથમ ચલાલા અને ત્યાર બાદમા અમરેલી સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જયાંથી વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. ઘટના અંગે હિમાંશુભાઇ જીવણભાઇ રાઠોડે ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી. ઘટનાની વધુ તપાસ પીએસઆઇ એ.વી.સરવૈયા ચલાવી રહ્યાં છે.