વાવના વાંઢીયાવાસ ગોળાઈમાં કાર પલ્ટી મારી જતાં ચાલકનું મોત


વાવના વાંઢીયાવાસ ગોળાઈમાં રવિવારે બપોરના સમયમાં કાર અચાનક પલ્ટી મારતાં ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ પહોચતા સારવાર માટે ખસેડાયા હતા. રાધનપુર વિસ્તારના લોકો રવિવારે બપોરના સમયે વાવ થી થરાદ તરફ કાર લઈને જઈ રહ્યા હતા.
ત્યારે વાવના વાંઢીયાવાસની ગોળાઈમાં કાર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડે પલ્ટી મારતાં કારના ચાલક વિરમભાઈ પરબતભાઇ ચૌધરીનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ પહોચી હતી. 108 વડે વાવ રેફરલ મધ્યે લવાયા હતા. ફરજ પરના તબીબ ગણપતસિંહ ચૌહાણ દ્વારા પ્રાથમિક સારવાર કરી ભરતભાઈ ચૌધરીને વધુ સારવાર માટે થરાદ ખસેડવામાં આવ્યા હતા.