સામખિયાળી-મોરબી હાઇવે પર હરીપર રેલ્વે બ્રીજ ખુલતાં સોમવારે વાહનો અટક્યા નહીં

copy image

copy image

સામખિયાળી મોરબી હાઇવે પર ગઇ કાલે 12 કિલોમીટર સુધી 15 કલાક ટ્રાફિક જામમાં વાહના ચાલકો ફસાયા હતા, હરીપર રેલ્વે બ્રીજ પર મોટી તિરાડ પડતાં આ રોડ ડાયવર્ટ કરી દેવાતાં સર્જાયેલા ટ્રાફિકજામ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને આજે આ બ્રીજ ખુલતાં વાહનો અટક્યા ન હતા. રવિવારે રાતથી સામખિયાળી મરબી હાઇવે પર 12 કિલોમીટર સુધી 15 કલાક સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ઘટનાનું કારણ એ હતું કે હરિપર પાસેના રેલ્વજે પુલ ઉપર મોટી તિરાડ પડી જવાને કારણે આ રોડ પર વાહન વ્યવહાર રોકી દલ ડાયવર્ટ કરાતાં આ મહા ટ્રાફિકજામમાં લોકો ફસાયા હતા.

આ ઘટનાની જાણ થતાં હાઇવે પેટ્રોલિંગ તેમજ સામખિયાળી પોલીસ મથકની ટીમ ટ્રાફિક પૂર્વરત કરવા જોડાઈ હતી. અહીં નોંધવું રહ્યું કે થોડા સમય પહેલાં જ આ હરિસપર રેલ્વે બ્રીજ બન્યો હતો અને તેના નિર્માણ કાર્ય સમયે પણ રોજ ટ્રાફીક જામ રહેતો હતો. ફરી આ બ્રીજ બંધ કરી દેવાતાં સામખિયાળી પોલીસે ઇમરજન્સી કામ અર્થે અમદાવાદ જતા લોકોને રાધનપુર હાઇવે પરથી જવા સૂચના આપી.

PSI એન.કે.ચૌધરીએ જણાવ્યુ઼ હતું કે ઇમરજન્સી કામ અર્થે કોઇ નિકળે અને અહીં ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાય તેના કરતાં રાધનપુર રોડ પરથી પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી પહોંચી જાય તે હેતુથી આ સૂચના આપી હતી. જો કે આજે હરીપર રેલ્વે બ્રીજ ખોલી દેવાતાં આજે વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહ્યો હતો.