વડનગર મેડિકલ કોલેજના તબીબોનો પીજીના નિયમમાં ફેરફાર અંગે વિરોધ

copy image

વડનગર મેડિકલના પીજીના વિદ્યાર્થીઓએ રાજ્યમાં મેડિકલ એડમિશનના નિયમોમાં ફેરફાર કરાતાં સોમવારે કોલેજમાં દેખાવો કરી સરકાર સામે રોષ જાહેર કર્યો હતો. પૂર્વેથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વિના સરકારે ગુજરાતમાંથી જ એમબીબીએસ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવાપાત્ર થતાં, તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે એવી જાહેરાત કરવામાં આવી છે. જેને લઇ ગુજરાતમાંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય થવાનો સૂર ઊઠ્યો છે..

પીજી મેડિકલના વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી કે, સરકારી ક્ષેત્રે તબીબીસેવા આપેલ ડોક્ટરો માટે આગળ પીજીમાં એડમિશન લેવા 10% બેઠકો પર “ઇન સર્વિસ” ક્વોટા અનામતરૂપે વર્ષે ઉમેરવામાં આવેલ, પણ બીજી તરફ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડિકલ ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ કરી દેવામાં આવી છે. જેથી અત્યારે બહાર પડનારી ઉપરાંત આવનારી ડોક્ટરોની પેઢી આ લાભથી વંચિત રહી જશે.