સારસામાં બે માથાભારે ઇસમે ખેતરમાં ભેલાણ કરી કેળાની લુમો તોડી પશુને ખવડાવતા ખેડૂતે વિરોધ કરતાં માર માર્યો

copy image

સારસા ગામમાં બે માથાભારે ઇસમે કેળાંના ખેતરમાં ઘુસી કેળા તોડી ગાયોને ખવડાવી દેતા આ બાબતે ખેડૂતે વિરોધ કરતાં તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપઇ હતી. આ બાબતે પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો હતો.

સારસા ગામમાં રહેતા સંજયભાઈ વિનુભાઈ પટેલ બપોરના સવા બે વાગ્યાની આસપાસ ઘરે હતાં તે દરમિયાન તેમના ખેતરના ભાગીયા યોગેશ ભઇલાલ ઠાકોરે ફોન કરી જણાવ્યું કે, ખેતરમાં કેળાની લુમો કાપેલી છે અને બે લોકો બીજા ખેતરમાં નાંખી ગાયોને ખવડાવે છે. જેથી સંજયભાઈએ ખેતરના રખેવાળ મનજીતસિંહ ઉર્ફે સોનુ, સુખદેવસીંગને જાણ કરતાં તેઓ ખેતર પર પહોંચ્યાં આ સમયે બે ઈસમ ખેતરના ફેન્સીંગ તારની વાડ કાપીને કેળાના પાકના ખેતરમાં આવેલા કેળાની લુમો ખવડાવતા હતાં. આથી, તેઓએ રોકતા પશુપાલકોએ અપશબ્દ બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી. આ ઇસમોએ દોઢસો કેળાની લુમોનું ભેલાણ કર્યું હતું. આ બાબતે સંજયભાઈ પટેલની ફરિયાદ આધારે ખંભોળજ પોલીસે મયાભાઈ વસરામ રબારી અને કાળીયો વસરામ રબારી (બન્ને રહે. સારસા વાંટા) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.