મહેસાણામાં ગોઝારીયા-ગાંધીનગર રોડ પર ક્રેન ચાલકે રાહદારીને ટક્કરે લેતા ઘટનાસ્થળે જ મોત

ગોઝારીયા-ગાંધીનગર રોડ પર ચાલીને જઈ રહેલા એક રાહદારીને ક્રેન ચાલકે ટક્કરે લઇ કચડયો હતો. જેથી તેનું  મૃત્યુ થયું હતું. આ સમગ્ર બાબતે લાઘણજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
​​​​​​​

ગોઝારીયા-ગાંધીનગર રોડ પર કોઈ અજાણ્યો 40 વર્ષીય પુરુષ ચાલીને જતો હતો તે દરમિયાન એક રેસ્ટોરન્ટ નજીક (GJ 2AV 0794) નંબરની ક્રેનના ચાલકે પોતાની ક્રેન પૂરપાટે ચલાવી રોડ પર જઈ રહેલા રાહદારીને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ સમગ્ર બાબતે પોલીસે ક્રેનના ચાલક સામે ફરિયાદ દાખલ કરી છે.