ગાંધીધામથી બેંગ્લોર મોકલેલી 6.79 લાખની પ્લાય ન પહોચતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ


ગાંધીધામથી 6.79 લાખની પ્લાય પ્રોડક્ટ બેંગ્લોરના હુબલી મોકલવા માંગતી હતી. જે માટે ટ્રાન્સપોર્ટર, તેના વિશ્વાસુ તેમજ જવાબદારી લેનારને પણ સાથે લીધા છતાં પણ કાર્ગો સ્થળ પર ન પહોંચતા ચાર ઈસમ સામે નામજોગ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ટ્રાન્સપોર્ટર અશોકભાઈ કાનજીભાઈ મંગે (ભાનુશાલી) ને અંબાજી પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ, વરસામેડીથી 623 નંગ પ્લેટો ભરીને બેંગ્લોરના હુબલીમાં આવેલા દક્ષ પ્લાયમાં મોકલવાનો ઓર્ડર મળ્યો હતો. ટ્રાન્સપોર્ટ અને કમીશન એજન્ડનો વ્યવસાય કરતા ફરિયાદીએ આ કામ મળતા ટ્રાન્સપોર્ટ ગૃપમાં મેસેજ મોકલ્યો હતો, જેના પ્રત્યુતરમાં ગાંધીધામના ખોડીયારનગરમા રહેતા લક્ષ્મણસીંગ જોગસીંગ રાવ (બારોટ) એ સંપર્ક કરીને પોતાની ગાડી મોકલવાની વાત કરી.
પણ તેમની સાથે પહેલા કોઇ કામ ન કર્યું હોવાથી જવાબદારીની માંગ કરતા અંબીકા ટ્રાન્સપોર્ટના મુસાભાઈએ જવાબદારીનો સ્વિકાર કર્યો હતો. આ રીતે 25/08/2022ના સવારે અંબાજી પ્લાયથી ટ્રક પહોંચીએ ગેટપાસ, બીલ, ઈ વે બીલ બનાવીને ઓફિસે બીલ્ટી બનાવીને ડ્રાઈવર મહેંદ્રપુરી ગોસ્વામી હોવાનું સામે આવ્યું.
70 હજાર એડવાન્સ પેટે લક્ષ્મણસીંગને અપવામાં આવ્યા હતા. બીજા દિવસે 27/08ના પુછપરછ કરતા હિમતસિંહ, કે જેવો ચામુંડા રોડ લાઈન્સના માલીક છે અને તેની ઓફિસ ટ્રાન્સપોર્ટ નગરમાં એ.વી. જોશી બ્રીજ નીચે આવેલી છે, તેમણે સંપર્ક સાધીને વાહન અમદાવાદ, સુરત અને અન્ય જગ્યાએ હોવાનું જણાવ્યું હતું. પરંતુ દિવસો વિત્યા છતાં પણ ગાડી ન પહોંચતા ફરિયાદીએ લક્ષ્મણસીંગ જોગસીંગ રાવ બારોટ (રહે. ખોડીયારનગર ઝુપડા), હિમ્મતસિંહ નાથુસિંહ ગોહિલ (રહે. 19, ગુરુક્રુપા ટાઉનશીપ, શાંતીધામ, ગળપાદર), મોહમદ ઈસ્માઈલ સુમરા ઉર્ફે અનીલ પારગી અને મહેંદ્રપુરી ગોસ્વામી સામે છેતરપીડી કર્યાનો ગુનો નોંધાવ્યો હતો.