પાંચ વર્ષના લાંબા સમયગાળા પછી અદ્યતન બસ પોર્ટ તૈયાર, પરંતુ લોકાર્પણ ચૂંટણી બાદ જ કરાશે

copy image

વડોદરા, સૂરત, અમદાવાદ અને રાજકોટ પછી જિલ્લા મથક ભુજનો બસ પોર્ટનું લોકાર્પણ  હવે થશે. 2017માં ગુજરાત સરકારે જૂના બસ સ્ટેશનની જગ્યાએ જ નવું બસ સ્ટેશન બનાવવા માટે જાહેરાત કરી હતી. જે અંગે 2018માં કામગીરી શરૂ કરાઈ હતી.

કોરોના કાળ દરમિયાન 1 વર્ષ માટે કામની ગતિ પર રોક આવી હતી, પરંતુ પછી ઝડપ આવતા છેવટે 1 મહિનામાં બેઝમેન્ટનું પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને બસ પ્લેટફોર્મ સહિત પૂરું થઈ જાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી બાદ આ અદ્યતન બસ પોર્ટ લોકોના ઉપયોગ માટે ખુલ્લું મૂકી શકાય તેમ હોવા છતાં વિધાનસભા ચૂંટણીને કારણે લોકાર્પણ ઠેલવવામાં આવશે.

બસ પોર્ટ બન્યા પછી ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહારની રેગ્યુલર બસ તેમજ વોલ્વો પણ આરામથી પ્રેવશ કરી શકે તે માટે જરૂરી જગ્યા હાલમાં નથી. જો આ જગ્યા વધારવી હોય તો બસ સ્ટેશનના બન્ને પ્રવેશ અને નિકાસ દ્વારને હજુ આશરે 20 ફૂટથી વધુ જગ્યા જોઇશે. બસ પોર્ટથી બહાર આવેલી સુધરાઇની દુકાનો તોડી અને નવી બનાવવાનો નિર્ણય હજી લેવામાં આવ્યો. આ જમીનની માલિકી પણ સુધરાઇની હતી નહિ. જે હવે કાર્યવાહી થઇ છે.

બસ સ્ટેશનની બહાર સુધરાઇની માલિકીની સવાસોથી વધુ દુકાનોની જમીનના ભાવ નક્કી કરવા માટે જિલ્લા સ્તરની મુલ્યાંકન સમિતિએ ફાઇલ તૈયાર કરી અને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર પાસે દરખાસ્ત મૂકવામાં આવી છે. જે ફાઇનલ થતા આગળની કાર્યવાહી કરાશે.

જૂના બસ સ્ટેશનની મૂળ જગ્યાએ જ અદ્યતન બસ પોર્ટ તૈયાર થઈ રહ્યું છે. તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.