ડમ્પર અડફેટે આવી જતાં ઉખરલાના યુવાનનું મૃત્યુ

ભાવનગર – અમદાવાદ રોડ પર રાઘવ પેટ્રોલ પંપ પાસે ટ્રકચાલકે પોતાના કબજામાં રહેલ વાહનને પુરપાટે ચલાવતા ઉખરલા ગામના યુવાનનું મોત થયું છે. આ બાબતે સિહોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. સિહોર તાલુકાના ઉખરલા ગામમાં રહેતા જયદીપભાઇ મનીષભાઇ મોણકા ઉખરલા ગામથી મો.સા. (નં. G.J.-04- BM -9131) લઇને સીમાડાના મેલડી માતાના દર્શન કરવા માટે નિકળ્યા હતા આ દરમ્યાન આ જ રોડ પરથી પસાર થઇ રહેલ ડમ્પર (નં.GJ -12-AT-9508) ના ચાલકે પોતાના કબજામાં રહેલ વાહનને માણસની બેદરકારીથી ચલાવી જયદીપભાઇના મો.સા.ને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોચેલ.

ઘટના પછી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો. જ્યારે જયદીપભાઇને 108માં સારવાર માટે લઇ જવાતા હતા ત્યારે રસ્તામાં જ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે ઘનશ્યામભાઇ ભરતભાઇ મોણકાએ ડમ્પર ચાલક સામે સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.