ભુજ તાલુકાની 32 પાંજરાપોળ, ગૌશાળાઓની ચાવીઅઓ સંચાલકોઅએ મામલતદારને સોંપી, હવેથી ગૌશાળા-પાંજરાપોળોની જવાબદારી મામલતદાર, સરકારની

copy image

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની અમલવારી સરકાર દ્વારા ન કરવામાં આવતા કચ્છ સહિત રાજ્યની તમામ ગૌશાળાઓ, પાંજરાપોળોના સંચાલકોએ આંદોલન શરૂ કર્યા છે

ગુજરાત સરકારે 3 માર્ચના વિધાનસભાના બજેટ સત્રમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ પાંજરાપોળ, ગૌશાળાઓના પશુધન માટે ફાળવ્યા હતા. આજદિન સુધી આ યોજનાની અમલવારી કરવામાં\ નથી.

અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરતભાઇ સોંદરવાએ જણાવ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી ઉપવાસ આંદોલન, પશુઓ છૂટા મુકવાની સાથે રસ્તા બ્લોક કરવા સહિતના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે છતાં યોજનાની અમલવારી ન કરાતાં તા.28-9, બુધવારના ભુજ તાલુકાની 32 પાંજરાપોળ, ગૌશાળાઅોની ચાવીઓ સંચાલકો દ્વારા મામલતદારને સોંપી દેવાઈ  છે.

તા.29-9, ગુરૂવારથી પાંજરાપોળ, ગૌશાળાઓમાં રહેલા પશુઓના નિભાવની જવાબદારી સરકારની રહેશે. જો પશુઓનો નિભાવ નહીં કરવામાં આવે અને ભુખમરાથી મોતના મુખમાં ધકેલાશે તો તેની જવાબદારી પણ સરકાર અને તંત્રની રહેશે. એક ગૌવંશને એક દિવસ જીવન જીવવા માટે 5 કિલો સુકોચારો, 7થી 8 કિલો લીલાચારાની જરૂર રહે છે ત્યારે સંસ્થા દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.

ઉપવાસ આંદોલન, ધરણા, આવેદન, ઢોર છૂટા મૂકવા સહિતના કાર્યક્રમો પછી હવે આગામી સમયમાં ગૌમાતાની મૂર્તિ બનાવી રથ સાથે ગૌમાતા અધિકાર સંકલ્પ યાત્રા કઢાશે અને સરકારની અસંવેદનશીલતા મુદ્દે પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની અમલવારી ન કરવામાં આવતા મનજીબાપુ દ્વારા ભુજ

મધ્યે ઉપવાસ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ યોજનાની અમલવારીની ખાતરી સાથે પારણા કરાયા હતા, પણ લાંબો સમય થવા આવ્યો છતાં પ સરકારે કોઇ ફેંસલો ન લેતાં આજે તા.29-9, ગુરૂવારના સવારે અબડાસા તાલુકાના રાતા તળાવ પાસે ભુજ-નલિયા હાઇવે બ્લોક કરાશે.