પાલનપુર જેલ કર્મીઓ ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી સબજેલ બહાર હડતાળ ઉપર ઉતર્યા

copy image

સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ કર્મચારીઓનું લાભ મળે તે માટે ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ પરિપત્રમાં જેલના પોલીસ કર્મી માટે કોઈ ઉલ્લેખ ન કરવામાં આવતા પાલનપુર જેલ કર્મીઓ ગાંધી ચીંધ્યા માર્ગ અપનાવી સબજેલ બહાર હડતાળ પર ઉતર્યા.

જિલ્લામાં તમામ કેટેગરીના કર્મચારીઓ સરકાર સમક્ષ પડતર માંગોને લઈને આંદોલનો કરે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ કર્મચારીઓ દ્વારા આંદોલન કરાયું હતું અને સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે લાભ મળે તે માટે ભથ્થું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારના પરિપત્રમાં જેલ પોલીસ કર્મચારીઓનો કોઈ ઉલ્લેખ કરવામાં ન આવતા કર્મીઓમાં સરકાર સામે રોષે ભરાઈ બે દિવસ પૂર્વે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પાલનપુર સબજેલના તમામ કર્મીઓ જેલ બહાર સરકાર સામે મોરચો માંડી ગાંધી ચીંધ્યા માર્ગે અપનાવી આંદોલન માર્ગ તરફ વળી તમામ કર્મીઓ જેલ બહાર ધરણા પર બેઠા હતા.