જામનગર શહેરમાં અકળ કારણોસર યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

જામનગરના નાગર ચકલા વિસ્તારમાં રહેતા એક યુવાને કોઇ અકળ કારણોસર પોતાના ઘરે મોડીસાંજ પછી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં નાગરચકલા વિસ્તારમાં સોનીનો ડેલામાં મધુરમ મકાનમાં રહેતા અને પ્રાયવેટ નોકરી કરતા હિતેન્દ્ર યગ્નેશચંદ્રભાઇ પાઠક(ઉ.વ. 45) નામના યુવાને રાત્રે પોતાના ઘેર પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીઘુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ ઘટના અંગે મૃતકના પુત્ર હેત હિતેન્દ્રભાઈ પાઠકે જાણ કરતાં સિટી એ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ.પોલીસે મૃતકનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.