નવસારી જિલ્લામાં બે અલગ બનાવમાં 2 યુવકે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

નવસારીમાં બે આત્મહત્યાની ઘટના નોંધાઈ હતી, જેમાં એક ઘટનામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા તો બીજી ઘટનામાં ટીબીની બિમારીથી પીડિત થતા યુવાને ફાંસો ખાઈ જીવનની ડોર ટૂંકાવી હતી.નવસારીના બોરીયાચ ગામ પાસે રહેતા મુકુંદ અમથાભાઈ હળપતિએ પોલીસમાં જાણ કરી કે તેમના ભાઈ કમલેશ અમથાભાઈ હળપતિ (ઉ.વ. 35)ને એક મહિનાથી ટીબીની બિમારી હતી. જેને લઈ હતાશામાં આવી જતા કમલેશ હળપતિએ મહોલ્લામાં રહેતા શોભનાબેનના કોઢારમાં લાકડાની ખાભલી પર સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની અહેકો નયન હનુભા તપાસ કરી રહ્યાં છે.

બીજા બનાવમાં વિજલપોરના ક્રિશ્ના એપાર્ટમેન્ટમાં રહેતી લક્ષ્મીબેને ફરિયાદ આપતા જણાવ્યું કે તેમના પતિ મુથ્થુપડી કાશી થેવર (ઉ.વ. 36)ને દારૂ પીવાની ટેવવાળો હોવાથી તેને દારૂ પીવાની ના પાડી હતી. જેને લઈ ખોટું લાગતા મુથ્થુપડીએ પોતાના ઘરમાં સાડી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો લીધો હતો. આ ઘટનાની એએસઆઈ મેહુલભાઈ બચુભાઇ તપાસ કરી રહ્યાં છે. નવસારીમાં બે અલગ અલગ આત્મહત્યાના બનાવમાં બંને યુવાનોએ હતાશામાં પગલું ભર્યુ હોવાની પોલીસે જણાવ્યું હતું.